- પ્રકાશન તારીખ08 Jun 2018

‘રાજકારણ અને નીતિમત્તાને કોઈ સંબંધ નથી’
- મેકિયાવેલી
- મેકિયાવેલી
કયું ચૂર્ણ આંખમાં આંજીએ તો કાજળઘેરી રાત્રે પણ જોઈ શકાય? શરીર પર શેનો લેપ કરીએ તો વર્ણ (રંગ) બદલાઈ જાય? જેને કાળો જાદુ કહે છે એના કયા ટુચકાથી સામેના માણસને વશ કરી શકાય કે એને નુકસાન કરી શકાય? આ બધા વિષયોની ચર્ચા એક પુસ્તકમાં છે અને એ
રાજકારણ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ પણ કરવું પડે
|
પુસ્તકમાં માત્ર આટલું જ નથી, એમાં જુદાં જુદાં યંત્રો વિશે વાત છે. એ પુસ્તક માનવ સ્વભાવની વાત નગ્ન, લોહિયાળ પ્રામાણિકતાથી કહે છે અને એ પુસ્તકમાં જ લોકોને ઊંધે રવાડે ચડાવવાની વાત પણ છે. એ પુસ્તક વિશે એના કર્તા વિશે ચર્ચા ઘણી થાય છે, પણ એ પુસ્તક વાંચવાની દરકાર ખરેખર ખૂબ ઓછા લોકો લે છે. એ પુસ્તકનું નામ છે, અર્થશાસ્ત્ર અને એના કર્તાનું નામ છે, કૌટિલ્ય.
રાજકારણ શું છે એ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ કરવું પડે. કૌટિલ્ય (ચાણક્ય) માટે સાધન અગત્યનું નથી સાધ્ય અગત્યનું છે. જ્યારે વાત સત્તાની જ હોય તો રાજાએ કેવા કેવા પ્રપંચ કરવા જોઈએ એ વિશે અર્થશાસ્ત્ર વિસ્તારપૂર્વક કહે છે. રાજા એ પોતે ચમત્કારિક પુરુષ છે એવી આભા પ્રસરાવવી જોઈએ એમ કૌટિલ્ય સ્પષ્ટ માને છે. એક અર્થમાં રાજા અગમ્ય હોવો જોઈએ. જો તર્કની ફૂટપટ્ટી વડે રાજા ‘મપાઈ’ જાય તો એની સત્તાનો પનો ટૂંકો થઈ જાય! સત્તા ટકાવવા કે મેળવવા માટે રાજાએ ખોટા પ્રચાર ઉપરાંત ખોટી પ્રયુક્તિનો સહારો લેવામાં પણ પીછેહઠ કરવી જોઈએ નહીં.
કદાચ જે તર્કની પેલે પાર છે એની જ સત્તા ચાલતી હોય છે. જોકે, અહીં વાત પારતાર્કિકની છે. અતાર્કિકની નથી. રાજાનાં કાર્યોને બહુ જ મોટાં કરીને બતાવવાં કે જે કામો કર્યાં ન હોય તે એના નામે ચડાવવા કે રાજાને લગભગ અવતારી પુરુષ તરીકે જ સાબિત કરવો એમ કૌટિલ્ય કહે છે.
સૌથી આશ્ચર્યજનક અર્થશાસ્ત્રનું 14-15મું પ્રકરણ છે. જેમાં જાતજાતની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. બ્લેક મેજિક છે અને રાક્ષસોની આરાધનાના મંત્રો પણ છે. સત્તા માટેના આ પ્રયત્નો સ્તબ્ધ કરી શકે છે.
ચાણક્ય અને મેકિયાવેલીમાં એક અદ્્ભુત સમાનતા જોવા મળે છે. બંને માટે રાષ્ટ્ર (રાજ્ય) સર્વોપરી છે, સર્વોચ્ચ અગ્રતાએ છે. યાદ રહે, રાષ્ટ્ર સરકાર નહીં. સરકારો આવતી અને જતી હોય છે, રાષ્ટ્ર અવિચળ રહે છે. રાષ્ટ્રવાદ એ સરકારવાદ કે કોઈ પક્ષવાદ નથી. મેકિયાવેલી તો કહે છે, રાષ્ટ્રના હિતમાં વ્યક્તિની ઇચ્છાનો ભોગ લઈ શકાય છે. આ બંને વ્યક્તિ સ્વાતંત્ર્યની બહુ તમા રાખતા હોય એમ જણાતું નથી. અત્યારે ડેટા લીકનું તરકટ બહુ વિવાદ જન્માવી રહ્યું છે અને સરકારો દરેક વ્યક્તિ પર વધુ પડતી નજર રાખી રહી છે-ની કાગારોળ પણ અવારનવાર થતી રહે છે. વાસ્તવમાં ચાણક્ય અને મેકિયાવેલી બહુ જ વ્યાપક અને અત્યંત કાર્યક્ષમ ગુપ્તચર વ્યવસ્થાના સમર્થક છે. આ બંને પોતાના રાજાઓને કોઈ વણજોઈતાં આશ્ચર્યો કે આઘાતોનો સામનો ન કરવો પડે તે માટે સતત સતર્ક રહેવા માટે કહે છે. અર્થશાસ્ત્ર તો નાગરિકો પર નજર રાખવા લગભગ તમામ ઉપાયોની હિમાયત કરે છે.
મેકિયાવેલી અને ચાણક્ય બંને માટે યુદ્ધ રાજનીતિનું અવિભાજ્ય અંગ છે. જોકે, આ બંને ‘યુદ્ધખોર’ માનસિકતાનું બહુ સમર્થન કરતા નથી, પણ સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનું જણાવે છે. રાષ્ટ્રના વિસ્તાર માટે યુદ્ધ કરવામાં આ બંનેને કોઈ છોછ હોય એમ લાગતું નથી.
જોકે, કૌટિલ્ય સત્તાના અવિવેકપૂર્ણ ઉપયોગની તરફેણ કરતા નથી. અમાત્યોની પરીક્ષા કેવી રીતે કરવી એ વિશે જુદા જુદા ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ તે અમાત્યો પર ભરોસો મૂકવાની વાત જ કરે છે. તો રાજપુત્રો સાથે કેવો વર્તાવ કરવો તેની ચર્ચા કરતી વખતે તેમને સરહદી રાજ્યોમાં મોકલવા કે તેમને કોઈ ચીજમાં આસક્ત કરવા જેવા ભયંકર ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ એ અંતે તો એવું જ તારણ આપે છે કે રાજપુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની હિમાયત કરે છે, જેથી એમનામાં સદ્્ગુણો અને વિવેક જાગૃત રહે. {
જનોઈવઢ : જ્ઞાન એ છે જે તમને સાચા અને ખોટાનો ભેદ શીખવાડે, લોભ અને ઈર્ષા સામે જાગૃત રાખે. તમને જે શોષણ શીખવાડે, લોભ માટે પ્રેરે એ જ્ઞાન નથી.
- અજ્ઞાત
રાજકારણ શું છે એ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ કરવું પડે. કૌટિલ્ય (ચાણક્ય) માટે સાધન અગત્યનું નથી સાધ્ય અગત્યનું છે. જ્યારે વાત સત્તાની જ હોય તો રાજાએ કેવા કેવા પ્રપંચ કરવા જોઈએ એ વિશે અર્થશાસ્ત્ર વિસ્તારપૂર્વક કહે છે. રાજા એ પોતે ચમત્કારિક પુરુષ છે એવી આભા પ્રસરાવવી જોઈએ એમ કૌટિલ્ય સ્પષ્ટ માને છે. એક અર્થમાં રાજા અગમ્ય હોવો જોઈએ. જો તર્કની ફૂટપટ્ટી વડે રાજા ‘મપાઈ’ જાય તો એની સત્તાનો પનો ટૂંકો થઈ જાય! સત્તા ટકાવવા કે મેળવવા માટે રાજાએ ખોટા પ્રચાર ઉપરાંત ખોટી પ્રયુક્તિનો સહારો લેવામાં પણ પીછેહઠ કરવી જોઈએ નહીં.
કદાચ જે તર્કની પેલે પાર છે એની જ સત્તા ચાલતી હોય છે. જોકે, અહીં વાત પારતાર્કિકની છે. અતાર્કિકની નથી. રાજાનાં કાર્યોને બહુ જ મોટાં કરીને બતાવવાં કે જે કામો કર્યાં ન હોય તે એના નામે ચડાવવા કે રાજાને લગભગ અવતારી પુરુષ તરીકે જ સાબિત કરવો એમ કૌટિલ્ય કહે છે.
સૌથી આશ્ચર્યજનક અર્થશાસ્ત્રનું 14-15મું પ્રકરણ છે. જેમાં જાતજાતની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. બ્લેક મેજિક છે અને રાક્ષસોની આરાધનાના મંત્રો પણ છે. સત્તા માટેના આ પ્રયત્નો સ્તબ્ધ કરી શકે છે.
ચાણક્ય અને મેકિયાવેલીમાં એક અદ્્ભુત સમાનતા જોવા મળે છે. બંને માટે રાષ્ટ્ર (રાજ્ય) સર્વોપરી છે, સર્વોચ્ચ અગ્રતાએ છે. યાદ રહે, રાષ્ટ્ર સરકાર નહીં. સરકારો આવતી અને જતી હોય છે, રાષ્ટ્ર અવિચળ રહે છે. રાષ્ટ્રવાદ એ સરકારવાદ કે કોઈ પક્ષવાદ નથી. મેકિયાવેલી તો કહે છે, રાષ્ટ્રના હિતમાં વ્યક્તિની ઇચ્છાનો ભોગ લઈ શકાય છે. આ બંને વ્યક્તિ સ્વાતંત્ર્યની બહુ તમા રાખતા હોય એમ જણાતું નથી. અત્યારે ડેટા લીકનું તરકટ બહુ વિવાદ જન્માવી રહ્યું છે અને સરકારો દરેક વ્યક્તિ પર વધુ પડતી નજર રાખી રહી છે-ની કાગારોળ પણ અવારનવાર થતી રહે છે. વાસ્તવમાં ચાણક્ય અને મેકિયાવેલી બહુ જ વ્યાપક અને અત્યંત કાર્યક્ષમ ગુપ્તચર વ્યવસ્થાના સમર્થક છે. આ બંને પોતાના રાજાઓને કોઈ વણજોઈતાં આશ્ચર્યો કે આઘાતોનો સામનો ન કરવો પડે તે માટે સતત સતર્ક રહેવા માટે કહે છે. અર્થશાસ્ત્ર તો નાગરિકો પર નજર રાખવા લગભગ તમામ ઉપાયોની હિમાયત કરે છે.
મેકિયાવેલી અને ચાણક્ય બંને માટે યુદ્ધ રાજનીતિનું અવિભાજ્ય અંગ છે. જોકે, આ બંને ‘યુદ્ધખોર’ માનસિકતાનું બહુ સમર્થન કરતા નથી, પણ સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનું જણાવે છે. રાષ્ટ્રના વિસ્તાર માટે યુદ્ધ કરવામાં આ બંનેને કોઈ છોછ હોય એમ લાગતું નથી.
જોકે, કૌટિલ્ય સત્તાના અવિવેકપૂર્ણ ઉપયોગની તરફેણ કરતા નથી. અમાત્યોની પરીક્ષા કેવી રીતે કરવી એ વિશે જુદા જુદા ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ તે અમાત્યો પર ભરોસો મૂકવાની વાત જ કરે છે. તો રાજપુત્રો સાથે કેવો વર્તાવ કરવો તેની ચર્ચા કરતી વખતે તેમને સરહદી રાજ્યોમાં મોકલવા કે તેમને કોઈ ચીજમાં આસક્ત કરવા જેવા ભયંકર ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ એ અંતે તો એવું જ તારણ આપે છે કે રાજપુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની હિમાયત કરે છે, જેથી એમનામાં સદ્્ગુણો અને વિવેક જાગૃત રહે. {
જનોઈવઢ : જ્ઞાન એ છે જે તમને સાચા અને ખોટાનો ભેદ શીખવાડે, લોભ અને ઈર્ષા સામે જાગૃત રાખે. તમને જે શોષણ શીખવાડે, લોભ માટે પ્રેરે એ જ્ઞાન નથી.
- અજ્ઞાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો