બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અનીતિ સૂત્રો 3


                                           અનીતિ સૂત્રો 3
1.     1.  સ્ત્રી જયારે એના પતિને ભૂતકાળ કહેતી હોય છે ત્યારે એ એનો દષ્ટિકોણ હોય છે, સત્ય નહીં.

2.      સબસે ઉંચી નફરત કી સગાઇ... જેને ભુલવા તમને બહુ તકલીફ પડશે  એને તમે પ્રેમ કરશો પણ જેને તમે લાખ કોશિષ છતાં નહીં ભુલાવી શકો એને નફરત કરશો.

3.       મંદિરના બહારના ભિખારીઓ કરતાં મંદિરની અંદરના ભિખારીઓ વધુ દયનીય છે.

4.       જેટલી મોટી ચોરી કરો અટલું વધુ સન્માન મળે

5.       ભગવાનના બાપને પણ જેલમાં જવું પડેલું તો આપણે કોણ..

6.       પરુષની બુધ્ધિ  (અનાવૃત) સ્ત્રીની પગની પાની સુધી

7.       અપણા ખોટા નિર્ણયોનો દોષ બીજાના માથે ઠોકી દેવાથી શાંતિ મળે છે.

8.       એપેન્ડિકસ અને અંતરાત્મા બંને સરખા નકામા છે, કઢાવી નાંખવાથી કોઇ નુકસાન થતું નથી.

9.       સ્ત્રી સંગથી દૂર રહેવાથી સ્ત્રીઓ ઘણા પાપમાંથી બચી જશે પણ તમે નહીં બચી શકો.

10.   શરાબ બડી માસુમ ચીજ છે એને તમારા લોભથી દૂર રાખો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો