બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અનીતિ સૂત્રો 2


                          અનીતિ સૂત્રો 2

1.       લગ્ન સમાજમાંથી નક્કી થાય છે, કૌમાર્ય ભંગ સ્વર્ગમાંથી નક્કી થાય છે.
2.       જેને પોતાના ભૂતકાળ પર અફસોસ છે એ આજના વર્તમાન માટે આવતી કાલે કોઇ બલિનો બકરો શોધતો હશે.
3.       સાધુ તો દૂરથી ભલા
4.       સત્ય બધી સમસ્યાનું કારણ છે.
5.       સેકસ શાશ્વત છે, પ્રેમ નહીં.
6.       મૃત્યુ એક જ વાર આવે છે, કૌમાર્ય એક જ વાર ભંગ થાય છે, પ્રેમ અને દગો વારંવાર કરી શકાય છે.
7.       ભગવાન અને બ્રહ્મચર્યને કોઇ સંબંધ નથી.
8.       પીઠ પર પહેરવાના બખ્તર બન્યા હોત તો પ્રેમ આટલો વગોવાત નહીં.
9.       દરરોજ મંદીરે જવાથી ભગવાનને મુરખ બનાવવાની શક્તિમાં વધારો થાય છે.
10.   ઘોર અજ્ઞાનીઓ શ્રેષ્ઠ પુજારીઓ સાબિત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો