બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અનીતિ સૂત્રો 3


                                           અનીતિ સૂત્રો 3
1.     1.  સ્ત્રી જયારે એના પતિને ભૂતકાળ કહેતી હોય છે ત્યારે એ એનો દષ્ટિકોણ હોય છે, સત્ય નહીં.

2.      સબસે ઉંચી નફરત કી સગાઇ... જેને ભુલવા તમને બહુ તકલીફ પડશે  એને તમે પ્રેમ કરશો પણ જેને તમે લાખ કોશિષ છતાં નહીં ભુલાવી શકો એને નફરત કરશો.

3.       મંદિરના બહારના ભિખારીઓ કરતાં મંદિરની અંદરના ભિખારીઓ વધુ દયનીય છે.

4.       જેટલી મોટી ચોરી કરો અટલું વધુ સન્માન મળે

5.       ભગવાનના બાપને પણ જેલમાં જવું પડેલું તો આપણે કોણ..

6.       પરુષની બુધ્ધિ  (અનાવૃત) સ્ત્રીની પગની પાની સુધી

7.       અપણા ખોટા નિર્ણયોનો દોષ બીજાના માથે ઠોકી દેવાથી શાંતિ મળે છે.

8.       એપેન્ડિકસ અને અંતરાત્મા બંને સરખા નકામા છે, કઢાવી નાંખવાથી કોઇ નુકસાન થતું નથી.

9.       સ્ત્રી સંગથી દૂર રહેવાથી સ્ત્રીઓ ઘણા પાપમાંથી બચી જશે પણ તમે નહીં બચી શકો.

10.   શરાબ બડી માસુમ ચીજ છે એને તમારા લોભથી દૂર રાખો.

અનીતિ સૂત્રો 2


                          અનીતિ સૂત્રો 2

1.       લગ્ન સમાજમાંથી નક્કી થાય છે, કૌમાર્ય ભંગ સ્વર્ગમાંથી નક્કી થાય છે.
2.       જેને પોતાના ભૂતકાળ પર અફસોસ છે એ આજના વર્તમાન માટે આવતી કાલે કોઇ બલિનો બકરો શોધતો હશે.
3.       સાધુ તો દૂરથી ભલા
4.       સત્ય બધી સમસ્યાનું કારણ છે.
5.       સેકસ શાશ્વત છે, પ્રેમ નહીં.
6.       મૃત્યુ એક જ વાર આવે છે, કૌમાર્ય એક જ વાર ભંગ થાય છે, પ્રેમ અને દગો વારંવાર કરી શકાય છે.
7.       ભગવાન અને બ્રહ્મચર્યને કોઇ સંબંધ નથી.
8.       પીઠ પર પહેરવાના બખ્તર બન્યા હોત તો પ્રેમ આટલો વગોવાત નહીં.
9.       દરરોજ મંદીરે જવાથી ભગવાનને મુરખ બનાવવાની શક્તિમાં વધારો થાય છે.
10.   ઘોર અજ્ઞાનીઓ શ્રેષ્ઠ પુજારીઓ સાબિત થાય છે.

અનીતિ સૂત્રો--1


                                                  અનીતિ સૂત્રો--1

1. કોઇ પુરુષ આખી જિંદગી જુઠ્ઠું ન બોલે એ શકય છે પણ કોઇ પરિણીત પુરુષ આખી જિંદગી સત્ય જ બોલે એ સંભવ નથી.

2. અસત્ય કરતાં અર્ધસત્ય વધુ અસરકારક હોય છે.

3. અપ્રામાણિકતાને પ્રામાણિક પણે વળગી રહેનારાઓ પ્રામાણિકતાને અપ્રામાણિક રીતે અપનાવનારા કરતાં વધુ સફળ હોય છે.

4. દારૂ બનાવનારા કરતાં દારૂ પીનારો વધુ મહાન છે.

5. પૈસા હાથનો મેલ છે એવું કહેનારો માણસ ચોખ્ખો હોતો નથી.

6. આળસથી મોટો ટાઇમ પાસ એકે ય નથી.

7. સત્તા માત્ર દિમાગમાં ભરાતી નથી કયારેક બે પગ વચ્ચેથી પણ વ્યક્ત થતી રહે છે.

8. પાપ કરતાં પહેલાં ભગવાનનું નામ લેવાથી અંતરાત્મા ડંખતો નથી.

9. ભકતો ભગવાનના નામે જેટલું ડરાવે છે એટલું ડરવા જેવું તો શૈતાનથી પણ નથી હોતું.

10. કયારેય દારૂ નહીં ચાખનારા માણસ કરતાં કાયમ દારૂ પીનારો માણસ સત્યની વધુ નજીક રહેતો હોય છે.