શુક્રવાર, 26 એપ્રિલ, 2013

                            કૃષ્ણની બાણશય્યા

આજે અઢારમો દિવસ છે અને સિંહાસન હવે પાસે છે
આ મારો મિત્ર સમજે છે કે હવે કૃષ્ણનું શું કામ છે ,
કાળનું ચક્ર ફર્યુ તો સુદર્શન પણ લાચાર થઈ ગયું
એને હવે કેમ કરી હણે, જેના બચાવમાં કાયમ ઉતર્યું
માનવીને સ્વાર્થ છે, દગાની ગણતરી છે
પણ શસ્ત્રને તો ઓળખાણની મર્યાદા છે
એની નજરમાં લાલચ અને લોભ છે
બાણ માર્યા પછી થોડી શરમની મુદ્રામાં છે
મારી નજર સાવધાન હતી અને છાતી પર બખ્તર પણ હતું,
પીઠ પર વાગ્યા છે એ તો અર્જુને મારેલા બાણ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો