ચક્રવ્યૂહ મેં ઘૂસને સે પહેલે,
કૌન થા મૈં ઔર કૈસા થા,
યહ મુઝે યાદ હી નહીં રહેગા,
ચક્રવ્યૂહ મેં ઘૂસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ,
સિર્ફ એક જાનલેવા નિકટતા થી,...
ઈસકા મુઝે પતા હી નહીં ચલેગા
ચક્રવ્યૂહ સે નીકલને કે બાદ,
મૈં મુક્ત હો જાઉં ભલે હી,
ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં,
ફર્ક હી ના પડેગા,
મરું યા મારું,
મારા જાઉં યા જાન સે માર દું,
ઈસકા ફૈસલા કભી ના હો પાયેગા,
સોયા હુઆ આદમી જબ,
નીંદ સે ઉઠકર ચલના શુરુ કરતા હૈ,
તબ સપનોં કા સંસાર ઉસે,
દોબારા દીખ હી ના પાયેગા,
ઉસ રોશની મેં, જો નિર્ણય કી રોશની હૈ
સબકુછ સમાન હોગા ક્યા?
એક પલડે મેં નપુંસકતા,
એક પલડે મેં પુરુષ,
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય.
- દિલીપ ચિત્રેકૌન થા મૈં ઔર કૈસા થા,
યહ મુઝે યાદ હી નહીં રહેગા,
ચક્રવ્યૂહ મેં ઘૂસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ,
સિર્ફ એક જાનલેવા નિકટતા થી,...
ઈસકા મુઝે પતા હી નહીં ચલેગા
ચક્રવ્યૂહ સે નીકલને કે બાદ,
મૈં મુક્ત હો જાઉં ભલે હી,
ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં,
ફર્ક હી ના પડેગા,
મરું યા મારું,
મારા જાઉં યા જાન સે માર દું,
ઈસકા ફૈસલા કભી ના હો પાયેગા,
સોયા હુઆ આદમી જબ,
નીંદ સે ઉઠકર ચલના શુરુ કરતા હૈ,
તબ સપનોં કા સંસાર ઉસે,
દોબારા દીખ હી ના પાયેગા,
ઉસ રોશની મેં, જો નિર્ણય કી રોશની હૈ
સબકુછ સમાન હોગા ક્યા?
એક પલડે મેં નપુંસકતા,
એક પલડે મેં પુરુષ,
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય.
અર્ધસત્ય...? હા અર્ધસત્ય...
વાસ્તવિકતા અને ઈચ્છાઓ, ગર્વિલું પૌરુષ અને લાલચી નપુંસકતા, ભભૂકતો આક્રોશ અને અસહાય લાચારી... સત્ય અને અસત્યનું કેફી કોકટેલ એટલે અર્ધસત્ય...
નોટ સો બિગ બનેલો બચ્ચન જ્યારે પોલીસ સ્ટેશનમાં ખુરશીને લાત મારીને શેર ખાનને કહે છે, ‘‘યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં.’’ ત્યારે એના અવાજમાં રહેલો ભભૂકતો અગ્નિ પ્રેક્ષકોને ઠંડક પહોંચાડે છે. 1973નો એ ‘સુપરકોપ’ છે. વિજયથી સિંઘમ સુધીના ખાખી વર્દીધારી હીરોની એ શરૂઆત છે.
આમ આદમીને અપેક્ષા છે કે, પોલીસ એની રક્ષા કરે, પોલીસ છે એ જ કામ માટે, પણ સિસ્ટમમાં કામ કરતો પોલીસ નપુંસક બની ગયો છે. લોકોને આ સમજાય છે ત્યારે એમની હતાશા સહનશક્તિની સીમાઓ ઓળંગી દે છે. ગુંડાઓ અને રાજકારણીઓના અતિ શક્તિશાળી ગઠબંધન સામે એ પોતાને અસલામત મહેસૂસ કરે છે અને એટલે જ જ્યારે કોઈ હીરો પડદા ઉપર સિસ્ટમને સફળતાપૂર્વક તોડે છે ત્યારે તેને વધાવી લેવાય છે, પણ ઓમ પુરીની ‘‘કલ્ટ’’ ગણાતી અર્ધસત્યમાં કહેવાયેલી અને આ લેખની શરૂઆતમાં ટાંકેલી કવિતાનું અર્ધસત્ય સત્ય બની જાય છે. સિંઘમનો બાજીરાવ પણ સિસ્ટમને તોડવા માંડે છે. એ વર્દી ઉતારીને ફેંકી દે છે અને પછી જ ગુરુજીને ખતમ કરી શકે છે. સિસ્ટમ ગુરુજીને મારી શકતી નથી. ન્યાય અપાવવા માટે રચાયેલી કોર્ટ અને પોલીસની સિસ્ટમ તૂટે છે ત્યારે જ ગુરુજી મરી શકે છે. બાજીરાવ સિંઘમ ગુરુજીને મારી શકે છે પણ સિસ્ટમને બચાવી શકતો નથી.
1973ના વિજય અને 2014ના સિંઘમ વચ્ચે 41 વર્ષનો અંતરાલ વહી ગયો છે પણ વાસ્તવિકતા એ જ છે. સિસ્ટમની અંદર ન્યાય મળતો નથી. પોલીસ - કોર્ટની સિસ્ટમ સારા લોકો માટે છે. એ સારા લોકો જેમના ‘‘કોન્ટેક્ટ’’ નથી, જેમની પાસે ‘‘લે - દે કે’’ પતાવટ કરવાના નાણાં નથી. ગુરુજી કે જયકાંત શિકરે, તેની કે રામા શેટ્ટી...ને મારવા માટે એમના જેવા જ થવું પડે છે, એમની જેમ જ સિસ્ટમ તોડવી પડે છે. આપણી સિસ્ટમમાં ન્યાય મેળવવો એ ચક્રવ્યૂહમાં ઘૂસવા બરાબર છે અને ચક્રવ્યૂહમાંથી કોઈ અભિમન્યુ ક્યારેય જીવતો બહાર નીકળ્યો નથી. મહાભારતમાં પણ કૃષ્ણ બખૂબીથી સિસ્ટમ તોડે છે. અર્જુનને અભિમન્યુના હત્યારા જયદ્રથને હણવો છે, પુત્રના મૃત્યુનો બદલો લેવો છે પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે કૃષ્ણ સત્યની સિસ્ટમ તોડે છે. કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે, જયદ્રથને હણવો હશે તો સત્યના સૂર્યને ગ્રહણથી ઢાંકી દેવો પડશે.
કાનૂનની મર્યાદામાં રહીને કામ કરતો, ગુનેગારોને પકડીને અદાલતમાં રજૂ કરતો પોલીસ અધિકારી આપણો હીરો બની શકતો નથી.
દબંગ હીરો પણ કાયદો હાથમાં લે તો જ આપણને ગમે છે. ન્યાય માટે રાહ જોવાની આપણી ધીરજ રહી નથી. વિવેકબુદ્ધિના માઇક્રોસ્કોપ નીચે આપણી અપેક્ષાઓને મુકીને જુઓ તો ખબર પડે છે કે આપણને પોલીસ અધિકારી નહીં ‘જલ્લાદ’ની જરૂર છે.
ફિલ્મ ‘અર્ધસત્ય’માં રાજકારણીઓના પીઠબળ વડે માતેલો બનેલો રામા શેટ્ટી (સદાશિવ અમરાપુરકર) પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનંત વેલનકર (ઓમ પુરી)ને નપુંસક હોવાનું મહેસૂસ કરાવે છે. બીજી તરફ ‘સિંઘમ’નો રચનાકાર રોહિત શેટ્ટી દર્શાવે છે કે, સી.એમ. સાથે હોવા છતાં બાજીરાવ ન્યાય મેળવી નહીં શકે. સત્તા દુર્જનોના સાથમાં હોય ત્યારે વધુ શક્તિશાળી હોય છે અને જ્યારે સારા માણસોની સાથે હોય ત્યારે નિસહાય હોય છે. આપણી સિસ્ટમનું, આપણી જિંદગીનું આ કડવું સત્ય છે.
ન્યાય... ન્યાય મેળવવો એ આપણી ફેન્ટસી છે. ઘરની વહુથી માંડીને સી.એમ.ની ખુરશીના ભાડુઆતો સુધીના બધ્ધાની એક કોમન ફરિયાદ રહે છે. મારા કામનો ન્યાય મળતો નથી. કદરની, વખાણની ભૂખ પણ આપણે સંતોષી શકતા નથી, સંતોષી શકાતી નથી, તો અન્યાય સામે ન્યાય મેળવવાની ભૂખ કેવી રીતે સંતોષી શકાશે? કોર્ટ આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી. દુ:શાસનના વધ પછી એની છાતી તોડીને ભીમ એનું લોહી પીવે છે ત્યારે એને ન્યાય મેળવવવાનો સંતોષ થાય છે. એ લોહી ભીના હાથે દ્રોપદીના વાળ ઓળે છે ત્યારે દ્રોપદીને ન્યાય મળ્યો હોય તેમ લાગે છે. અન્યાય દરેક પુરુષમાં એક ભીમ અને દરેક સ્ત્રીમાં એક દ્રોપદીને જન્મ આપે છે. જેમની રક્તપિપાસા કોઈ સિસ્ટમને ઓળખતી નથી, કોઈ સંસ્કારોને સમજતી નથી. ક્રૂરતા સામે દસ ગણી ક્રૂરતાથી જ એ રક્તપિપાસા સંતોષાય છે. બોંબ ધડાકામાં જેના પુત્રના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે એ પુત્રનો પિતાને ન્યાય શું હોઈ શકે? આરોપીને વીસ વર્ષની કેદ એ પિતાને મળેલો ‘‘ન્યાય’’ છે?
આપણી અદાલતો આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી.
કહે છે કે, પાંચેય પતિઓમાં અર્જુન દ્રોપદીને સૌથી વધુ વહાલો હતો પણ દુ:શાસનનું લોહી પીતો ભીમ એને શ્રેષ્ઠ પતિ લાગ્યો હશે. ન્યાય મળવો અને ન્યાયનો સંતોષ મળવો એ તદ્દન જુદી બાબત છે.
સિસ્ટમ આપણે ઊભી કરેલી ભ્રમણા છે અને અદાલતોનો ન્યાય એક મૃગજળ... હરણ જેવા માણસો એની પાછળ દોડ્યા કરે છે, દોડ્યા જ કરે છે... મોત મળી જાય છે પણ ન્યાયનો સંતોષ મળતો નથી.
આ અસહાયતા જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી ન્યાયની ભૂખ રહેશે ત્યાં સુધી સિસ્ટમનું અર્ધસત્ય બહાર પાડતા સિંઘમો આપણા હીરો રહેશે.
‘‘એક પલડે મેં નપુંસકતા
એક પલડે મેં પુરુષ
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય...
તરાજુ લઈને ઊભેલી દેવી બન્ને પલ્લા સમાન રાખવા મથી રહી છે. કાંટો વચ્ચે છે એ અર્ધસત્ય છે, ન્યાય તોળાઈ રહ્યો છે એ ભ્રમણા છે.
--------------
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો