શનિવાર, 4 ઑક્ટોબર, 2014

બન્ને પલ્લાં એક સમાન છે, કાંટા પર છે એ અર્ધસત્ય છે

ક્રવ્યૂહ મેં ઘૂસને સે પહેલે,
કૌન થા મૈં‌ ઔર કૈસા થા,
યહ મુઝે યાદ હી નહીં રહેગા,
ચક્રવ્યૂહ મેં ઘૂસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ,
સિર્ફ એક જાનલેવા નિકટતા થી,...
ઈસકા મુઝે પતા હી નહીં ચલેગા
ચક્રવ્યૂહ સે નીકલને કે બાદ,
મૈં‌ મુક્ત હો જાઉં ભલે હી,
ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં,
ફર્ક હી ના પડેગા,
મરું યા મારું,
મારા જાઉં યા જાન સે માર દું,
ઈસકા ફૈસલા કભી ના હો પાયેગા,
સોયા હુઆ આદમી જબ,
નીંદ સે ઉઠકર ચલના શુરુ કરતા હૈ,
તબ સપનોં કા સંસાર ઉસે,
દોબારા દીખ હી ના પાયેગા,
ઉસ રોશની મેં, જો નિર્ણય કી રોશની હૈ
સબકુછ સમાન હોગા ક્યા?
એક પલડે મેં નપુંસકતા,
એક પલડે મેં પુરુષ,
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય.
                                                                                                    - દિલીપ ચિત્રે


અર્ધસત્ય...? હા અર્ધસત્ય...
વાસ્તવિકતા અને ઈચ્છાઓ, ગર્વિલું પૌરુષ અને લાલચી નપુંસકતા, ભભૂકતો આક્રોશ અને અસહાય લાચારી... સત્ય અને અસત્યનું કેફી કોકટેલ એટલે અર્ધસત્ય...
નોટ સો બિગ બનેલો બચ્ચન જ્યારે પોલીસ સ્ટેશનમાં ખુરશીને લાત મારીને શેર ખાનને કહે છે, ‘‘યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં.’’ ત્યારે એના અવાજમાં રહેલો ભભૂકતો અગ્નિ પ્રેક્ષકોને ઠંડક પહોંચાડે છે. 1973નો એ ‘સુપરકોપ’ છે. વિજયથી સિંઘમ સુધીના ખાખી વર્દીધારી હીરોની એ શરૂઆત છે.
આમ આદમીને અપેક્ષા છે કે, પોલીસ એની રક્ષા કરે, પોલીસ છે એ જ કામ માટે, પણ સિસ્ટમમાં કામ કરતો પોલીસ નપુંસક બની ગયો છે. લોકોને આ સમજાય છે ત્યારે એમની હતાશા સહનશક્તિની સીમાઓ ઓળંગી દે છે. ગુંડાઓ અને રાજકારણીઓના અતિ શક્તિશાળી ગઠબંધન સામે એ પોતાને અસલામત મહેસૂસ કરે છે અને એટલે જ જ્યારે કોઈ હીરો પડદા ઉપર સિસ્ટમને સફળતાપૂર્વક તોડે છે ત્યારે તેને વધાવી લેવાય છે, પણ ઓમ પુરીની ‘‘કલ્ટ’’ ગણાતી અર્ધસત્યમાં કહેવાયેલી અને આ લેખની શરૂઆતમાં ટાંકેલી કવિતાનું અર્ધસત્ય સત્ય બની જાય છે. સિંઘમનો બાજીરાવ પણ સિસ્ટમને તોડવા માંડે છે. એ વર્દી ઉતારીને ફેંકી દે છે અને પછી જ ગુરુજીને ખતમ કરી શકે છે. સિસ્ટમ ગુરુજીને મારી શકતી નથી. ન્યાય અપાવવા માટે રચાયેલી કોર્ટ અને પોલીસની સિસ્ટમ તૂટે છે ત્યારે જ ગુરુજી મરી શકે છે. બાજીરાવ સિંઘમ ગુરુજીને મારી શકે છે પણ સિસ્ટમને બચાવી શકતો નથી.
1973ના વિજય અને 2014ના સિંઘમ વચ્ચે 41 વર્ષનો અંતરાલ વહી ગયો છે પણ વાસ્તવિકતા એ જ છે. સિસ્ટમની અંદર ન્યાય મળતો નથી. પોલીસ - કોર્ટની સિસ્ટમ સારા લોકો માટે છે. એ સારા લોકો જેમના ‘‘કોન્ટેક્ટ’’ નથી, જેમની પાસે ‘‘લે - દે કે’’ પતાવટ કરવાના નાણાં નથી. ગુરુજી કે જયકાંત શિકરે, તેની કે રામા શેટ્ટી...ને મારવા માટે એમના જેવા જ થવું પડે છે, એમની જેમ જ સિસ્ટમ તોડવી પડે છે. આપણી સિસ્ટમમાં ન્યાય મેળવવો એ ચક્રવ્યૂહમાં ઘૂસવા બરાબર છે અને ચક્રવ્યૂહમાંથી કોઈ અભિમન્યુ ક્યારેય જીવતો બહાર નીકળ્યો નથી. મહાભારતમાં પણ કૃષ્ણ બખૂબીથી સિસ્ટમ તોડે છે. અર્જુનને અભિમન્યુના હત્યારા જયદ્રથને હણવો છે, પુત્રના મૃત્યુનો બદલો લેવો છે પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે કૃષ્ણ સત્યની સિસ્ટમ તોડે છે. કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે, જયદ્રથને હણવો હશે તો સત્યના સૂર્યને ગ્રહણથી ઢાંકી દેવો પડશે.
કાનૂનની મર્યાદામાં રહીને કામ કરતો, ગુનેગારોને પકડીને અદાલતમાં રજૂ કરતો પોલીસ અધિકારી આપણો હીરો બની શકતો નથી.
દબંગ હીરો પણ કાયદો હાથમાં લે તો જ આપણને ગમે છે. ન્યાય માટે રાહ જોવાની આપણી ધીરજ રહી નથી. વિવેકબુદ્ધિના માઇક્રોસ્કોપ નીચે આપણી અપેક્ષાઓને મુકીને જુઓ તો ખબર પડે છે કે આપણને પોલીસ અધિકારી નહીં ‘જલ્લાદ’ની જરૂર છે.
ફિલ્મ ‘અર્ધસત્ય’માં રાજકારણીઓના પીઠબળ વડે માતેલો બનેલો રામા શેટ્ટી (સદાશિવ અમરાપુરકર) પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનંત વેલનકર (ઓમ પુરી)ને નપુંસક હોવાનું મહેસૂસ કરાવે છે. બીજી તરફ ‘સિંઘમ’નો રચનાકાર રોહિત શેટ્ટી દર્શાવે છે કે, સી.એમ. સાથે હોવા છતાં બાજીરાવ ન્યાય મેળવી નહીં શકે. સત્તા દુર્જનોના સાથમાં હોય ત્યારે વધુ શક્તિશાળી હોય છે અને જ્યારે સારા માણસોની સાથે હોય ત્યારે નિસહાય હોય છે. આપણી સિસ્ટમનું, આપણી જિંદગીનું આ કડવું સત્ય છે.
ન્યાય... ન્યાય મેળવવો એ આપણી ફેન્ટસી છે. ઘરની વહુથી માંડીને સી.એમ.ની ખુરશીના ભાડુઆતો સુધીના બધ્ધાની એક કોમન ફરિયાદ રહે છે. મારા કામનો ન્યાય મળતો નથી. કદરની, વખાણની ભૂખ પણ આપણે સંતોષી શકતા નથી, સંતોષી શકાતી નથી, તો અન્યાય સામે ન્યાય મેળવવાની ભૂખ કેવી રીતે સંતોષી શકાશે? કોર્ટ આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી. દુ:શાસનના વધ પછી એની છાતી તોડીને ભીમ એનું લોહી પીવે છે ત્યારે એને ન્યાય મેળવવવાનો સંતોષ થાય છે. એ લોહી ભીના હાથે દ્રોપદીના વાળ ઓળે છે ત્યારે દ્રોપદીને ન્યાય મળ્યો હોય તેમ લાગે છે. અન્યાય દરેક પુરુષમાં એક ભીમ અને દરેક સ્ત્રીમાં એક દ્રોપદીને જન્મ આપે છે. જેમની રક્તપિપાસા કોઈ સિસ્ટમને ઓળખતી નથી, કોઈ સંસ્કારોને સમજતી નથી. ક્રૂરતા સામે દસ ગણી ક્રૂરતાથી જ એ રક્તપિપાસા સંતોષાય છે. બોંબ ધડાકામાં જેના પુત્રના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે એ પુત્રનો પિતાને ન્યાય શું હોઈ શકે? આરોપીને વીસ વર્ષની કેદ એ પિતાને મળેલો ‘‘ન્યાય’’ છે?
આપણી અદાલતો આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી.
કહે છે કે, પાંચેય પતિઓમાં અર્જુન દ્રોપદીને સૌથી વધુ વહાલો હતો પણ દુ:શાસનનું લોહી પીતો ભીમ એને શ્રેષ્ઠ પતિ લાગ્યો હશે. ન્યાય મળવો અને ન્યાયનો સંતોષ મળવો એ તદ્દન જુદી બાબત છે.
સિસ્ટમ આપણે ઊભી કરેલી ભ્રમણા છે અને અદાલતોનો ન્યાય એક મૃગજળ... હરણ જેવા માણસો એની પાછળ દોડ્યા કરે છે, દોડ્યા જ કરે છે... મોત મળી જાય છે પણ ન્યાયનો સંતોષ મળતો નથી.
આ અસહાયતા જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી ન્યાયની ભૂખ રહેશે ત્યાં સુધી સિસ્ટમનું અર્ધસત્ય બહાર પાડતા સિંઘમો આપણા હીરો રહેશે.
‘‘એક પલડે મેં નપુંસકતા
એક પલડે મેં પુરુષ
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય...
તરાજુ લઈને ઊભેલી દેવી બન્ને પલ્લા સમાન રાખવા મથી રહી છે. કાંટો વચ્ચે છે એ અર્ધસત્ય છે, ન્યાય તોળાઈ રહ્યો છે એ ભ્રમણા છે.
--------------

આલ્બમ

                                         
સંજય પટેલ ધીમા પગલે પોતાના રૂમનાં આવ્યા. અમસ્તું જ એમણે ચારે તરફ જોયું એમને થયું એ એકલા પડી ગયા છે. બેડ એ જ હતો, બધો સરસામાન એ જ હતો, કપડાં એ જ હતા વાધું એમને એમ જ હતું એમણે કવાટ ખોલ્યું. એમને કશું જોઇતું નહતું પણ એ કશું ક શોધવા માંગતા હતા.
દરેક ખાના ખોલ્યા પણ કંઈ લીધું નહીં અંતે એમણે છેલ્લું ખાનું ખોલ્યું ત્રીસ વર્ષ જૂનો એક દસ્તાવેજ એમની સામે તાકી રહ્યો. એક સમયે જે ચમકદાર ગુલાબી રંગનો હતો હવે એ કાગળ ઝાંખો પડી ગયો હતો એના ચમક કયારનીય જતી રહી હતી.
એમણે પ્રથમ પાનું પલટાવ્યું કાળી જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા, લગભગ બધા સફેદ વાળ વાળા અને સફેદ લેંઘો ઝભ્ભો પહેરેલા સંજય સામે રિમલેસ ચશ્મા પહેરેલા, બ્લુ રંગના થ્રી પિસ ડબલ બ્રેસ્ટેડ શૂટવાળો અને કાળા ભમ્મરવાળા વાળો સંજય હસી રહ્યો હતો. સંજય પટેલમાં મનમાં હાસ્ય આવ્યું. પણ ચહેરા સુધી પહોંચ્યું નહીં. બે સંજય એકબીજા સામે જોઇ રહ્યા હતા. 40 વર્ષનો અંતરાલ ઓગળી ગયો હતો.
એમણે બીજુ પાનું પલટાયું. બુલેટ 350 મોટર સાયકલ પર ગોગલ્સ અને બોલબેટમ અને ભુરુ શર્ટ પહેરેલો સંજય જાણે 70ના દાયકના હીરો જોવા લાગતો હતો. સંજય પટલને એ દિવસ બરાબર યાદ હતો. નમક હરામએ દિવસ રીલીઝ થયું હતું. અને સંજય પટેલ એની કાયમની આદતની જેમ ફર્સ્ટ કે ફર્સ્ટ શોના ટિકીટ લઇને આવેલો એ દિવસ ખાસ હતો.
એ થિયેટરની અંદર જઈ રહયો હતો ત્યારે એણે પહેલી વાર એને જોઈ હતી. એનો ડ્રેસ બિલકુલ ફિલ્મી હતો. લાંબુ ગાઉન અને હાઈ હિલના સેન્ડલ નામ તો એ વખતે ખબરન હોતી, પાછળથી ખબર પડી કે એનું નામ શર્વરી હતું. શર્વરીનો નંબર સંજયની બેરો પાછળ હતો. ફિલ્મ ત્રણ કલાક ચાલી સંજયે બે કલાક સર્વરીને જોયા કરી. એ ફિલ્મ પછી સંજયની જંદગીમાં ત્રણ બદલાવ આવ્યા. પહેલો એ કે સંજયની ગરદનમાં ભારે દુખાવો ઉપડયો જે એક અઠવાડિયામાં મટી ગયો બીજો એ કે રાજેશ ખન્નાની ફેન ક્લબમાંથી એણો રાજીનામું આપી દીધું અને એ બચ્ચનનો ફેન થઈ ગયો.
બચ્ચન બોફોર્સ કાંડમાં સંડોવાયો ત્યાં સુધી એમની બચ્ચન ફેન કલ્બની મેમ્બરશિપ ચાલુ રહી ત્રીજો ફેરફાર છ મહિના પછી  દેખાયો જ્યારે ટર્ફ ક્લબની લોનમાં પ્રથમવાર શર્વરીએ સંજયને કહ્યું આઈ લવ યુઆટલું બોલતાં તો એના ચહેરા પર શરમ મેકઅપ કરતાં પણ વધુ ચમકવા માંડી હતી. એ જોઇને સંજયના મિત્ર પરિતોષે કહ્યું પણ ખરૂં ભાભી હવે તો લગ્ન થઇ ગયા હવે શાનું આટલું શરમાવો છો?’’ સંજયને શર્વરી પર પ્રેમવાળો ગર્વ થઇ આવ્યો શર્વરીની એ શરમ અને સંજયનો એ પ્રેમવાળો ગર્વ આખી જિંદગી કાયમ રહ્યો. આમેય કેટલાક  રોગ અસાધ્ય થાય છે અને આવા અસાધ્ય રોગોની મજા પણ અસાધારણ હોય છે. એ ‘‘ દસ્તાવેજ’’ નું પાનું ફેરવતાં પહેલાંજ સંજય પટેલને  ખબર હતી કે હવે શું આવશે? એ એનો મિલિટરી ડ્રેસમાંનો ફોટો હતો.
1971ના ભારત પાકિસ્તાન યુધ્ધ સમયે સંજય પટેલને ભારતીય સેનામાં જોડાવું હતું પણ માતાપિતા વિરુદ્ધમાં હતા. અંતે એણે આર્મી કેન્ટિનમાંથી ખરીદેલા લશ્કરી કપડાં પહેરીને સંતોષ માનવો પડ્યો. સંજયને એ કપડાં એટલા ગમી ગયેલા કે એ કાયમ એ જ કપડોમાં ફર્યા કરતો. શર્વરીને ડિલીવરી પેઇન ઉપડ્યું ત્યારે પણ એ જ ડ્રેસમાં જ ફરતો હતો. શર્વરીએ એને જોયો ત્યારે એને આટલા દુખાવા છતાં હસવું આવી ગયેલું એણે કહેલું, આપણો કંઈ યુધ્ધમાં થોડા જઇએ છીએ....? કપડાં નથી બદલવા...?
               ----------------------------------------------------------
‘‘પપ્પા કપડાં નથી બદલવા...? અનન્યાએ બીજી વાર પુછયું ત્યારે સંજય પટેલ ચાલીસ વર્ષના અંતરાલમાંથી પાછા ફર્યા. જાણો કશું સાંભળ્યું જ ના હોય એમની અનન્યા સામે તાકી રહ્યા, પછી કહ્યું ‘‘ ના, બેટા આ કપડાં ચાલી જશે.’’ અનન્યા કુંઇ બોલી નહીં: અનન્યા સંજય પટેલની પુત્રવધૂ હતી.
એમને એક માત્ર દીકરો જ હતો એટલે એ અનન્યાને સગી દીકરીની જેમ રાખતા. અનન્યા પણ એમની પર હેત વરસાવતી.
અનન્યાનું ધ્યાન એમના હાથમાંના આલ્બમ પર પડ્યું એ પાસે આવી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ હવે પીળા પડી રહ્યા હતા પણ કશુંક એમાં હુતં જે આંખોને ખેચી રાખતું હતું. ફોટોગ્રાફમાં એક યુવાન એના નાના બાળકને હવામાં ઊંચકાને ઊભો હતો. પાસે એક યુવાન સ્ત્રી સાડી પહેરીને ઉભી હતી. અનન્યાના ચહેરા પર ચમક આવી. એના પતિનો આ ફોટો એણે ક્યારેય જોયો ન હોતો. સંજય પટેલે અનન્યા સામે જોયું એ સમન્યા અને કહ્યું સાથેક આ ફોટોમાં સરસ લાગે છે નહીં? એ બે વર્ષનો હતો ત્યારે આ ફોટો પડાવેલો.
સંજય પટેલે પાનું ફેરવ્યું શર્વરી પગ પર પત્ર ચડાવીને આડી ફરીને બેઠી હતી અને સંજય એના ઘુંટણીએ બેસીને જાણો પ્રપોઝ કરતો હોય એમ બેટેલો હતો. એમણે અનન્યાને કહ્યું અમે જગદીશ સ્ટુડિયોમાં ગયા ત્યારે ફોટો પડાવ્યા લાંબો સમય બેસી રહેવું પડેલુ અને શર્વરી ચિડાઈ ગઈ હતી. હું એને મનાવવા એની પાસે ફિલ્મી અદામાં બેટો અને  ફોટોગ્રાફરે ફોટો કલીક કરી લીધેલો. ખબર નહી પણ કેમ શર્વરીનો મુડ સુધર્યો ન હતો તે દિવસે અમે આરાધના જોયેલું અને એ રાત્રે મેં સપના જોવાનું શરૂ કર્યું ત્યાં સુધી મેરે સપનો કી રાની કબ આયેગી તુ’’ ગાતો રહેલો. અનન્યા એ સાંભળી રહી હતી. એના સસરા રોમેન્ટીક હશે એવું એને કયારેય લાગ્યું ન હોતું એકાએક એને ખ્યાલ આવ્યો છે એ આલ્બમ માંના ફોટો તારીખ પ્રમાણે ન હોતા. એણો પૂછયું આ ફોટોગ્રાફ્સ તારીખ પ્રમાણે નથી? સંજયે જવાબ આપ્યો બેટા ઘટનાઓ તીવ્રતા મુજબ યાદ આવે છે તારીખ મુજબ નહીં.
એ પછીના ફોટોમાં સર્વરી કાંજીવરમ સાડી પહેરીને ઉભી હતી. સંજયે કહ્યું, પહેલીવાર મદ્રાસ ગયો હતો ત્યારે કાંજીવરમ સાડી લાવ્યો હતો. શર્વરીના વોર્ડ રાખમાં હજુ આ સાડી છે. તને ખબર છે એણે આ સાડી ક્યારેય પહેરીન હોતી. મેં એને ઘણીવાર પૂછેલું એ કહેતી એ પ્રેમનું પ્રતીક છે અને પ્રેમ સાચવવા માટે હોય છે પહેરવા માટે નથી હો તો.. અનન્યાને ખબર હતી કે શર્વરીએ પ્રેમને આખી જિંદગી કબંધ સાચવ્યો હતો. સંજય પટેલ ક્યાંય સુધી એ ફોટોને ટેરવાથી વાંચવાની કોશિશ કરતા રહ્યા. અનન્યા સ્તબ્ધ હતી.
એ પછીનો ફોટો લગ્નનો હતો ગળામાં વરમાળા પહેરેલા સંજયના હાથમાં વરમાળા હતી અને શર્વરીનીએ જોઇ રહી હતી. ખારાપારના તમામના ચહેરા પર આનંદ હતો અને શર્વરીના ચહેરા પર શરમ હતી. એ શરમને જોવામાં સંજય ભાન ભૂલ્યો હતો. અને એ શર્વરીને જ જોઇ રહ્યો હતો. એના મિત્રોએ ટોણો માર્યો સંજય હાર પહેરાવવાનો છે...
                        -------------------------------------------
પપ્પા તમારે પહેલો હાર પહેરાવવાનો છે, રૂમમાં આવેલા સાર્થકે કહ્યું સંજય પટેલ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવી ગયા એમણે ભારે હેયે આળ્બમ બંધ કર્યું અને બહાર આવ્યા શર્વરી લાલ સાડી પહેરીને સુતી હતી. એના કપાળ પર હંમેશાની જેમ લાલ અટક આંલ્લો હતો અને ચહેરા પર હંમેશાની જેમ અદ્ભુત શાંતિ... સંજય પટેલ ખળભળી ઉઠ્યા એમણે સાર્થકના ખભાનો આધાર લીધો. કોઈએ એમને હાર આપ્યો એમણે જિંદગીમાં બીજાવાર અંતિમ વાર શર્વરીને હાર પહેરાવ્યો. આ વખતે તસવીર લેનારું કોઈ ન હોતું એની જરૂર પણ ન હોતી. એમના આલ્બમની આ તસવીર હંમેશા એમની આંખોમાં રહેવાની હતી.
---